રોજ સફરજનના સેવનથી ઘણા બધા લાભ થતા હોય છે. ડોક્ટર આપણને રોજ એક સફરજન ખાવાની સલાહ આપતા હોય છે. કેમ કે સફરજનમાંથી વિટામિન બી6, વિટામીન સી, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેન્ગેનીઝ મળી રહે છે. જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આપણને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
પરંતુ શું તમે જાણો છો કે રોજ સફરજન ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. સાથે સાથે જો તેના સેવન પછી કે પહેલા આટલી વસ્તુ ખાશો તો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે એમ હોય છે. સફરજન ખાધા પછી કેટલીક વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. આવો જાણીએ તે વસ્તુના નામ અને તેનાથી થતા નુકસાન વિશે.
મૂળો- સફરજન ખાધા પછી મૂળાનું સેવન ન કરવું જોઈએ. કેમ કે મૂળાની તાસીર ઠંડી છે. માટે જો સફરજન ખાધા પછી મૂળો ખાશો તો કફ થવાના ચાન્સ વધી જાય છે. અને પાચનતંત્રની પણ સમસ્યા ઉભી થતી હોય છે.
એટલું જ નહીં તરત મૂળો ખાવાથી શરીર પર સફેદ દાગ થવાની પણ સમસ્યા થતી હોય છે. ઘણા લોકોને શરીર પર સફેદ દાગ હોય છે જેને આપણે કોઢ કહેતા હોઈએ છીએ. તે સફરજન પછી મૂળાનું સેવન કરવાથી થતાં હોય છે.
પાણી- આપણે જ્યારે પણ સફરજન ખાઈએ છીએ પછી તરત પાણી પીતા હોઈએ છીએ. આ ભૂલ તમે હું બધા જ કરતાં હોય છે. તો આ આદત તમારે બદલી નાખવી જોઈએ. સફરજન ખાધા પછી ક્યારેય તરત પાણી ન પીવું જોઈએ. સફરજનના સેવન પછી તરત પાણી પીવાથી પેટનું PH લેવલ ખરાબ થાય છે. જેનાથી અપચો, ગેસ, એસિડીટી, આંતરડા ફૂલવા વગેરે જેવી તકલીફો થઈ શકે છે.
એટલું જ નહીં ત્વચાને લગતી સમસ્યા પણ ઘણા લોકોને થતી હોય છે. તે ઉપરાંત પાણી પીવાથી શરીરમાં કફ બનવાનો શરૂ થાય છે. માટે સફરજનના સેવન પછી એક કલાક પછી પાણી પીવું જોઈએ.
ખાટા ફળો અથવા ખાટી વસ્તુ- સફરજન ખાધા પછી તરત ખાટી વસ્તુ કે ખાટા ફળો ન ખાવા જોઈએ. તેમાં અથાણું તો ક્યારેય ન ખાવું જોઈએ. કેમ કે સફરજન ખાધા બાદ ખાટા વસ્તુ પેટમાં જવાથી સાઈટ્રિક એસિડનો વધારો થાય છે. જેથી પેટની સમસ્યા થઈ શકે છે. ક્યારેય ગેસ બનવાનો પણ શરૂ થઈ જાય છે. જો એક વખત ગેસની સમસ્યા શરૂ થઈ સાથે અનેક બીમારીઓને નોતરી શકે છે. માટે ક્યારેય સફરજનના સેવન પછી ખાટી વસ્તુ ન ખાવી જોઈએ.
દહીં- આપણને શરદી ખાંસી થઈ હોય ત્યારે ડોક્ટર પણ દહીં-છાશ ખાવાની ના પાડતા હોય છે. તેવી જ રીતે જો તમે સફરજન ખાધા પછી દહીંનું સેવન કરશો તો કફ થવાની સંભાવના રહે છે. કેમ કે સફરજન અને દહીં બંનેની તાસીર ઠંડી હોવાથી આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચનતંત્રને લગતી પણ તકલીફ થતી હોય છે.
સફરજન આ સમયે ખાવાથી થતું નુકસાન-
મોટાભાગના લોકો સફરજન સવારે ખાતા હોય છે. પરંતુ જો કોઈને સવારે સમય ન મળતો હોય અથવા તો રાત્રે ફ્રૂટ ખાવાથી શરીર સારું રહે એવી ગેરસમજ હોય તો સફરજન શરીરને નુકશાન પહોંચાડી શકે છે. કેમ કે સફરજનનું સેવન રાત્રીના સમયે ખાવામાં આવે તો અસ્થમાની બીમારી થઈ શકે છે. માટે સવારે જ સફરજનનું સેવન કરવું જોઈએ.
આમ પણ સફરજન કે કોઈપણ ફ્રૂટ ખાવાનો યોગ્ય સમય સવારનો ઉત્તમ ગણાય છે. અને તેમાં પણ ખાલી પેટ સફરજનનું સેવન કરશો તો લોહીની તકલીફ દૂર થશે. તે સિવાય મગજ સારું બને, દાંતને લગતી પણ તકલીફ હોય તો તે દૂર થતી હોય છે. માટે સફરજનના સેવન પછી આટલી વસ્તુ ખાવાથી બચવું જોઈએ. અને તે સવારના સમયે ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થતા હોય છે.
શબ્દો વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.