😴કોઈપણ વ્યક્તિ હોય તેની ઉંઘ પૂરી ન થાય તો તેને ચેન પડતું નથી કેટલીક વખત માથું દુખવા લાગતું હોય છે. ગૃહિણીને એક આદત હોય છે કે જો તે બપોરે થોડી વાર પણ ન સૂવે તો આખો દિવસ જાણે બગડી ગયો હોય એવી અનુભૂતિ કરતી હોય છે. પરંતુ ડૉક્ટર હોય કે આયુર્વેદ દરેકમાં બપોરે સૂવાની ના પાડતા હોય છે. બપોરે જે લોકો સૂવે છે તેના શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે. માટે બને તો બપોરે ન સૂવું જોઈએ સીધા રાત્રે જ સૂવું જોઈએ.
😴હવે બીજી વાત કે રાત્રે ઘણા લોકો ઉંઘા સૂતા હોય તો કોઈ સીધા સૂવે તો કોઈ ડાબા કે જમણા પડખે એમ અલગ અલગ રીતે સૂતા હોય છે. તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે. આયુર્વેદમાં જણાવ્યું છે કે એવી ઘણી રીતો દર્શાવેલી છે, જેના પરથી કહી શકાય કે તમારે કઈ સ્થિતિમાં વધારે સૂવું અને તેનાથી ક્યા ફાયદા થાય છે. તે ઉપરાંત ઝડપથી ઉંઘ લાવવી હોય તો શું કરવું? અને કેટલો સમય સૂવું જોઈએ એવી ઘણી બાબતો છે તેની માહિતી તમને આપીશું.
😴ઊંઘની સીધી અસર આપણા શરીર પર પડી શકે છે. જો કોઈ માણસને નિંદર પૂરી ન થાય તો બીમાર પડી શકે છે. અને તે લાંબો સમય ચાલે તો અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશતાં વાર લાગતી હોતી નથી. એટલે જ તમારું કામ, કામ કરવાની રીત, ઉજાગરા ઓછા, સ્ટ્રેસ એવી ઘણી બધી બાબતો હોય જેના કારણે ઉંઘ અધૂરી રહેતી હોય છે. તો નિયમિત સુવાનો સમય નક્કી રાખવો.
😴કેવી રીતે સૂવું?- મોટાભાગના લોકોને સૂવાની આદત હોય છે કે ઉંધા સૂવે, આડા સૂઈ જાય અથવા એક પગ બીજા પગ પર ચડાવીને સૂઈ જાય, જમણા પડખે સૂવે અથવા ડાબા પડખે સૂવે. ખાસ કરીને આયુર્વેદમાં ડાબા પડખે સૂવાની સલાહ આપવામાં આવી છે.
😴ડાબા પડખે સૂવાના ફાયદા- એવું એટલા માટે કે માણસનું જઠર ડાબી બાજુ સહેજ નમેલું હોય છે. માટે જો જમ્યા બાદ ડાબા પડખે સૂવામાં આવે તો ખોરાક જઠરમાં જાય અને સરળતાથી પાચન થઈ જતો હોય છે. માટે જો ડાબા પડખે સૂવામાં આવે તો ખોરાક સરળતાથી પચી જાય અને પાચનતંત્ર પણ સારી રીતે કાર્ય કરતું રહે.
😴ઘણા લોકોને પથારીમાં સીધા સૂવાની ટેવ હોય છે. તેનાથી ઘણી વખત ડોકનો, પીઠનો દુખાવો અથવા કરોડરજ્જુનો દુખાવો થઈ જતો હોય છે. સીધા સૂવોનો એક ફાયદો છે કે જો કમર સીધી રહે તો ઘણી બીમારીથી દૂર રહી શકાય છે. પણ શરીર માટે કેટલાક અંશે આ સ્થિતિ હાનિકારક સાબિત થાય છે. એટલે હંમેશાં ડાબા પડખે જ સૂવું જોઈએ. જો કોઈને વધારે પડતાં નસકોરા બોલતાં હોય તો ઉંધા સૂઈ જવું જોઈએ. પરંતુ તેને ટેવ બનાવશો તો કમરનો દુખાવો, ડોકનો દુખાવો, પેટનો દુખાવો, હાર્ટની સમસ્યા વગેરે જેવી તકલીફ થતાં વાર નહીં લાગે.
😴આ ઉપાયથી આવશે ઝડપથી ઉંઘ- દરેકના શરીરમાં બે પ્રકારના હોર્મોન હોય છે. 1-melatonin 2-cortisol. જે સારી ઉંઘ લાવવા માટે જવાબદાર છે. માટે જો તમારું મગજ શાંત અને કોઈપણ વિચારો વગરનું હોય તે સમયે melatoninનું પ્રમાણ શરીરમાં વધારે હોય છે. તે વખતે તમને સારી ઉંઘ આવશે.
😴કોઈ વખત cortisol શરીરમાં વધારે હોય એટલે કે કોઈ વાતને લઈ ટેન્શન હોય તો તમને ઉંઘ આવતી નથી. તે સમયે રૂમમાં જઈ એકદમ અંધારું કરી નાખવું જોઈએ. પછી રૂમમાં લાલ કલરની ડીમ લાઈટ ચાલુ રાખવી.
😴-બીજું કે તમારા રૂમનું તાપમાન બને તો 16થી 20ની વચ્ચે રાખવું. તે સમયે તમારા શરીરનું પણ તાપમાન જળવાય રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
😴-ટેન્શન કે કોઈ વાતને લઈ મન શાંત કરવું હોય તો સૂતાં પહેલા સ્નાન જરૂર કરી લેવું જોઈએ. જેથી શરીર સ્વસ્છ થશે તો સારી રીતે ઉંઘ આવી જશે.
😴બાળક અથવા મોટી ઉંમરના વ્યક્તિએ કેટલા કલાક સૂવું?- નેશનલ સ્લીપ ફાઉન્ડેશનની એક ટીમ છે તેને રિસર્ચ કર્યું કે માણસને કેટલા કલાકની ઉંઘ જરૂરી છે. તેમાં 0-3 મહિનાનું બાળક 14-17 કલાક ઓછામાં ઓછું ઉંઘે, 4 મહિના કે તેનાથી ઉપરનું બાળક 12-15 કલાકની ઉંઘ લેતું હોય, 1-2 વર્ષનું થાય ત્યારે બાળક 11-14 કલાક સૂતું હોય છે.
😴બાળક જેમ જેમ મોટું થાય એટલે 3-5 વર્ષે 10-13 કલાક સૂવું જોઈએ, 6-13 વર્ષનું બાળક 9-11 કલાક, 14-17 વર્ષનું બાળક થાય ત્યારે 8-10 કલાક સુવું જોઈએ, પછી જેમ ઉંમર વધતી જાય, તમે યુવાન થાવ અને પુખ્ત વયમાં પ્રવેશ કરો ત્યાં સુધી એટલે કે 18-64 વર્ષના થાવ ત્યાં સુધી 7-9 કલાક ઓછામાં ઓછું સુવું જોઇએ. 65 વર્ષની ઉપરના લોકોએ 7-8 કલાક સુવું.
😴આ રીતે દરેક વ્યક્તિએ ઉંઘ પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. રાત્રે સૂતી વખતે બને તો લેપટોપ, કમ્પ્યૂટર, મોબાઈલ, આઈપેડ જેવી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. તે સિવાય આખા દિવસ દરમિયાન જે કામ કર્યું હોય તેને રાત્રે સૂતી વખતે મગજમાંથી કાઢી નાખવું. જેથી મગજ શાંત હશે તો જલદી ઉંઘ આવશે. ખાસ વાત કે ડાબા પડખે જ સૂવું જોઈએ. જમણા પડખે સૂવું શરીર માટે હાનિકારક છે.
જો આવી જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.