🧘♀️ આજના સમયમાં લોકોને ફિઝિકલી અને મેન્ટલી સ્વસ્થ રહેવા માટે ઘણા કૃત્રિમ ઉપાયો કરવા પડે છે અને તેમ છતા પણ તેને જોઇતી સુંદરતા કે ફિટનેસ મળતા નથી. પહેલાના સમયમાં લોકો આવા કોઇ પણ ઉપાય વગર જ એમ જ સુંદર લાગતા હતા. એ સમયમાં લોકોની જે જીવનશૈલી હતી તે જ એટલી સ્ટ્રોંગ હતી કે તેઓ વૃદ્ધત્વ સુધી ફિટ રહી શક્તા હતા. સાથે તેઓની તંદુરસ્તી પણ ગજબની હતી.
🧘♀️ આપણે જે આસનની વાત કરવાના છીએ તેનાથી આપણને તેનાથી આપણને અદ્દભૂત કહી શકાય તેવા ફાયદા થવાના છે. આ આસન કરવાથી શારિરીક કોઇ નાની-નાની તકલીફો હોય તો તે પણ ગાયબ થાય છે. સાથે તમારા શરીરને સુંદર અને ઘાટીલું બનાવવામાં પણ મદદ કરશે.
🧘♀️ ભુજંગાસન વિશે માહિતી : આ આસનનું નામ તેના આકાર ઉપરથી રાખવામાં આવેલું છે. એટલે કે ભુજંગનો અર્થ થાય છે સાપ. જે પોતાની ફેણ ઉઠાવીને ઉભો હોય તેવો આ આસનનો આકાર બનતો હોવાથી આ આસનને ભુજંગાસન નામ આપવામાં આવેલું છે. આ આસનને કોબ્રાપોઝ તરીકે પણ લોકો જાણે છે.
🧘♀️ ભુજંગાસન કરવાની યોગ્ય પદ્ધતિઃ
🧘♀️ આ આસનમાં શવાસનની જેમ આકાશ તરફ મુખ રાખીને ચત્તા સૂઇ જવાનું હોય છે. તેનાથી બિલકુલ વિરુદ્ધ બંને પગ પૂરા સીધા કરી પગના પંજા લંબાવી પેટ ઉપર ઉંધા સૂઇ જાઓ. આ સમયે કપાળ જમીનને અડકશે અને બંને હાથ બાજુ પર પસરેલા હશે.
🧘♀️ હવે તમારે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો. દાઢીને લંબાવીને બહાર કાઢો. માથું ઉચું કરો અને સાથે છાતી ઉચી કરો. આ તમામ ક્રિયા ધીમે-ધીમે કરવાની છે. હાથનો ટેકો પણ લેવાનો નથી..
🧘♀️ આ સમયે પગના અંગૂઠાથી નાભી સુધીનું શરીર જમીનને અડકાયેલું હશે. હાથની હથેળીઓ જમીન પર હશે અને પીઠની માંસપેશીઓના બળથી શરીર છાતી સુધી ઉચું થયેલું હશે. આમ છાતી સુધીનો ભાગ ઉચો કર્યો પછી છાતી નીચેના ભાગથી શરુ કરી નાભી સુધી પેટ ઉચકવાનું છે. આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે.
🧘♀️ હવે જોઇએ છેલ્લી સ્થિતિ આ પોઝિશનમાં આવ્યા બાદ આકાશ તરફ જોઇને કરોડને થોડોક વધારે વળાંક આપો. હાથને પૂરેપૂરા સીધા કરવાના નથી કે ખભાને ઉચકવાના નથી. કોણીમાંથી થોડો મોટો ખુણો બને તેમ બંને હાથ રહેવા જોઇએ. આ આસન અહીં પુરુ થાય છે.
🧘♀️ આ આસન તમારે 20થી 30 સેકેન્ડ સુધી કરવાનું છે. ત્યાર બાદ ખૂબ જ ધીમેથી શરીરને નીચું લાવવાનું છે. શરુઆતમાં જે પેટના બળે જમીન પર સુવાની ક્રિયા છે તે પોઝિશનમાં આવીને થોડો વિશ્રામ કરવો. જેટલો સમય આ આસન કરવામાં આવ્યો એટલો સમય વિશ્રામ પણ જરુરી છે.
🧘♀️ જ્યારે તમે આ આસનથી શરુઆત જ કરી છે ત્યારે તે માત્ર 3 વાર જ કરવું અને છોડા સમય બાદ તેને તમે વધારીને 15થી 20 વખત પણ કરી શકો છો. આ આસનમાં તમે શરુઆત 20 સેકેન્ડ જ રહો તે યોગ્ય છે બાદ તેનો સમય તમે વધારી શકો છો. પરંતુ જો શરીરને કોઇ કષ્ટ પહોંચે તો આ આસનમાં વધારે રહેવુ જોખમ ભરેલુ છે. આ આસન બહેનો માટે ઘણું જ લાભદાયી છે. તો ચાલો જોઇએ તેના લાભ.
🧘♀️ ભુજંગાસન કરવાના ફાયદાઓઃ
🧘♀️ – આ આસન મહિલા વર્ગને ઘણો જ લાભ આપે છે તેઓને માસિક ધર્મની જે કોઇ પણ તકલીફ હોય તે દૂર કરે છે. તેમજ પ્રજનન સંબંધી જે કોઇ પણ નાની-મોટી મુશ્કેલી હોય તે પણ દૂર થાય છે.
🧘♀️ – ભુજંગાસનથી પીઠ અને પેટની માંસપેશી સબળ અને નીરોગી બને છે તેમજ પેટની અંદરના અવયવો પણ વધારે કાર્યક્ષમ બને છે. એથી જઠરાગ્નિ પ્રબળ બને છે. જમ્યા બાદ જો પેટમાં ગેસની તકલીફ થઇ હોય તો તે આ આસનથી દૂર થાય છે. કબજીયાતની તકલીફ દૂર થાય છે.
🧘♀️ -ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. ફેફસાને પૂરેપૂરો વિકસવાનો અવકાશ મળવાથી શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે. મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુ મજબૂત બને છે.
🧘♀️ – મહિલાઓને ગર્ભાશય અને બીજાશયમાં સુધાર આવે છે. તેથી માસિક વિના કષ્ટ આવે છે. માસિક સંબંધી કોઇ પણ ફરીયાદ દૂર થાય છે. કફ, પિત્ત જેવી તાસિરના લોકો માટે આ આસન ખૂબ જ ફાયદાકારક છે.
🧘♀️ ભુજંગાસન કરવાતા સમયે રાખવાની સાવધાનીઃ જ્યારે તમે આ આસન કરો છો ત્યારે કોઇ એક હાથ પર પુરુ વજન આપવાનું નથી. બંને હાથ પર સમાન જ વજન આપવું. જેટલી કરોડરજ્જુ વળતી હોય તેટલી જ વાળવી વધારે જોર આપીને તેને ક્યારેય ના વાળવી આ આસનનો જેમ જેમ વધારે અભ્યાસ થશે તેમ તે વધારે વળશે.
🧘♀️ જો પીઠમાં દુખાવો જણાય તો આ આસન ન કરવું અને બે ત્રણ દિવસ આરામ જ કરી લેવો. સારણગાંઠના દર્દીઓએ આ આસન ક્યારેય ન કરવું જોઇએ. ગર્ભવતી બહેનોએ આ આસન ન કરવું. તેમજ માસિક ધર્મ હોય તે દરમિયાન પણ આ આસન ક્યારેય ન કરવું જોઇએ. શરીરમાં કોઇ નાનું-મોટું ઓપરેશન કરાવેલું હોય તો ડોક્ટરની સલાહ લઇને જ આ આસન કરવું.
જો આ ભુજંગાસન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.