👉દોસ્તો,આજે આપણે જે ટૉપિક જોવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ મહત્વનો છે કેમકે તેનો સંબંધ આપણા હેલ્થની સાથે જોડાયેલ છે. જ્યારે આપણે કોઈ કામમાંથી થાકીને ફ્રી થઈએ છીએ ત્યારે આપણા હાથને આરામ આપવા માટે સૌથી પહેલું કામ હાથની આંગળીઓના ટચાકડા ફોડવાનું કરતાં હોઈએ. આમ કરવું આપણા માટે સારું છે કે પછી તેની કોઈ વિપરીત અસર થાય છે. તે આપણે આજે જોવાનું છે.
👉દોસ્તો, ઘણા લોકો એવું માને છે કે ટાંચકા ફોડવાથી હાથને આરામ મળે છે. પરંતુ એવું નથી. વિજ્ઞાન મુજબ એવું કહેવાય છે કે આ ટચાકડા ફોડવાની આદત આપણી હેલ્થ માટે સારી નથી. વરંવાર જો આમ ટચાકડા ફોડયા કરવાથી હાથના હાડકાઓ નબળા પડે છે. તે ઘસાય છે. અને તેનાથી બીજી પણ ઘણી જ તકલીફો થાય છે. આથી દોસ્તો જો તમને પણ આ ટચાકડા ફોડવાની આદત હોય તો તેને કાઢી નાખજો. કેમ કે આ ટેવ આગળ જતાં ખૂબ જ તકલીફમાં મૂકી શકે છે.
👉દોસ્તો, તમે જાણો જ છો કે આપણા પૂરા શરીરમાં કુલ મળીને 213 જેટલા હાડકાઓ આવેલા છે. આ બધા જ હાડકાઓ એક બીજાની સાથે જોડાયેલા છે. દોસ્તો મશીનના સ્પેરપાર્ટને ઘર્ષણથી બચાવવા માટે તેમા ગ્રીસ કરવામાં આવે છે. તેવી જ રીતે આપણા હાડકાઓને એક બીજાના ઘર્ષણથી બચાવવા માટે તેમા એક synovial fluid liquid હોય છે. જે ગ્રીસ જેવુ જ કામ કરે છે. જેનાથી હાડકાઓ ઘસાતા નથી અને તેને લગતી કોઈ તકલીફો પણ થતી નથી.
👉હાડકાને ઘર્ષણથી બચાવતા સીનોવિયલ ફ્લુઇડ લિક્વિડમાં કાર્બન ડાયોક્સાઈડ ભળવાથી એક પરપોટો બને છે. પરંતુ જ્યારે આપણે હાડકાને ત્યાંથી વાળીએ છીએ ત્યારે તે પરપોટો ફૂટી જાય છે. અને આ પરપોટના ફૂટવાથી આવાજ આવે છે. આવું માત્ર આંગળીઓમાં જ નહીં પરંતુ પગમાં પણ ઘણી વાર આવાજ આવે છે.
👉દોસ્તો,જ્યારે આપણે હાથના ટચાકિયા ફોડ્યા જ હોય ત્યારે તરત જ ફરી તે ફૂટતા નથી. તો તેની પાછળનું કારણ છે કે એ લિક્વિડમાં કાર્બન ડાયોક્સાઈડને ભળતા અને પરપોટો બનતા ઓછામાં ઓછી 20 મિનિટ જેટલો સમય તો લાગે જ છે. જ્યાં સુધી તે પરપોટો નહીં બને ત્યાં સુધી તેમાંથી ટચાકડાનો આવાજ નહીં આવે. તમે વરંવાર પ્રયત્ન કરશો તો પણ ટાચકડો નહીં ફૂટે.
👉હાથની આંગળીઓમાં જ્યારે આપણે વરંવાર ટાચકાઓ ફોડીએ છીએ જેનાથી હાડકાઓના જોઇન્ટ નબળા પડતાં જાય છે. જેનાથી તેમા ઉત્પન થતા લિક્વિડની માત્રા ઘટતી જાય છે. અને જો આમને આમ આ લિક્વિડ બનવાનું ઘટતું જશે તો એક સમય તમને ઘણી જ મુશ્કેલીમાં મુકી શકે છે. તમારા શરીરમાં સાંધાઓનો કાયમી દુખાવો પણ થઈ શકે છે. અને તેને મટાડવો ઘણો જ મુશ્કેલ છે. ઘણા લોકો ટચાકડો ફોડવા માટે પોતાના સાંધાઓને ખેચે છે. આમ કરવાથી સાંધાની પકડ નબળી પડે છે. અને તેનો દુખાવો થવાનું શરૂ થાય છે.
👉દોસ્તો દરેક રિસર્ચ મુજબ એવું ના કહી શકાય કે ટચાકડા ફોડવાથી કોઈ તકલીફ થાય જ. પરંતુ દોસ્તો હા એ વાત તો પાકી જ છે કે વરંવાર જો આપણા હાથના ટચાકડા ફોડવામાં આવે તો આખરે નુકશાન તો છે જ. તેનાથી કોઈ ફાયદો તો નથી જ. માટે આ આદત જો તમારે છે તો વહેલી તકે તેને દૂર કરી દો. તેમાં જ તમારો ફાયદો રહેલો છે..
જો ટચાકડા ફોડવા પાછળના ગંભીર પરિણામો વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.