🫕 ખોરાક આપણા શરીરની ખૂબ જ મહત્વની જરુરિયાત છે. તેના વગર શરીર ટકાવવું અશક્ય છે. તેના માટે આપણે યોગ્ય માત્રામાં અને યોગ્ય પોષક તત્વોવાળો ખોરાક લેવો ખૂબ જ જરુરી છે. જેનાથી આપણા શરીરને જોઇતા પોષક તત્વો, વિટામીન્સ વગેરે મળી રહે છે. પરંતુ જે ખોરાક આપણે લઇએ તે ઝેરનું કામ કરે તો?
🫕 એવું બને કે ખોરાકમાં ઝેર જ આવી જાય તો આપણા શરીરને ખૂબ જ નુકશાન થઇ શકે છે. આમ જોઇએ તો આપણા શરીરને વાસી ખોરાક પણ ઘણું નુકશાન પહોંચાડે છે. તો આવો જાણીએ કે, વાસી ખોરાકને આપણે ફરી ગરમ કરીએ છીએ તે આપણા માટે ઝેર જ બની જાય તો એ ખોરાક ક્યા છે.
👉 આજના સમયમાં લોકો ઘણા કારણોસર ખોરાકને ફ્રીજમાં સ્ટોર કરી રાખે છે અને તે ખોરાકને જ્યારે જરુર હોય ત્યારે ગરમ કરીને ખાઈ લેતા હોય છે. પરંતુ આપણે નથી જાણતા કે તે વાસી ખોરાક ખાવાથી આપણા શરીરને કેટલુ નુકશાન પહોંચે છે. ડોક્ટર્સના અભિપ્રાય મુજબ અમુક ખોરાક એવા છે કે જેને ફરી ગરમ કરવામાં આવે તો તેમાં રહેલા તમામ પોષક તત્વો નાશ પામે છે અને તે ઝેર સમાન બની જાય છે. તો આવો જાણીએ કે તો ક્યા ખોરાક છે જે ફરી ગરમ ન કરવા જોઇએ.
👉 સૌથી પહેલા આપણે વાત કરીએ તેલની. જે તેલને તમે કોઇ ફરસાણ ડીપ ફ્રાય કરવા ઉપયોગમાં લીધું છે. તે તેલને તમે ફરી-ફરી ગરમ કરીને તેનો ઉપયોગ કરતાં રહેશો તો તે તેલમાં બનેલી તમામ વસ્તુઓ તમારા માટે ઝેર સમાન છે. આ તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં રેડિકલ્સ ઉત્પન્ન થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકર્તા છે. તો વપરાયેલ તેલથી શાક જેવી અન્ય ચીજ પણ ન બનાવવી. તેમાં બનાવવામાં આવેલો તમામ ખોરાક માટે ઝેર જ સમજજો.
👉 બીજું જોઇએ તો તે છે બટાકાનું શાક. આપણા સૌના ઘરોમાં આ શાક વિશેષ બનતું જ હોય છે કેમ કે, આ શાકને અબાલ-વૃદ્ધ સૌ કોઇ પસંદ કરે છે. પરંતુ આપણે નથી જાણતા કે આ શાકને જો ફરી ગરમ કરવામાં આવે તો તેમાં બોટ્યુલીઝમ નામક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે આપણા શરીર માટે ઝેર સમાન જ છે. તેને તમે જેમ વધારે ગરમ કરશો તમે તે વધારે ખરાબ થશે. તો તેને ગરમ કરવા કરતાં ઠંડુ જ વધારે સારુ રહેશે.
👉 આપણે રેગ્યુલર જેને સલાડમાં ઉપયોગમાં લઇએ છીએ તે બીટ. જી, હાં બીટને જો કાચુ જ ખાવામાં આવે તો ફાયદાકારક છે. તેમાં લોહતત્વ પ્રચુર માત્રામાં હોય છે. અમુક લોકો તેને શાક, હલવો જેવી અન્ય આઇટમ્સ બનાવીને ખાઈ છે. બીટમાં નાઇટ્રોઇડનું પ્રમાણ વિશેષ હોય છે તો આ વસ્તુને ઠંડી પડ્યા બાદ ફરી ગરમ પણ કરે છે ત્યારે તેમાં રહેલ નાઇટ્રાઇડ સંપૂર્ણ નાશ પામ છે. તેથી તે સ્વાસ્થ્ય માટે નુકશાન કારક સાબિત થાય છે. આથી બીટનું શાક કે હળવા જેવી વસ્તુ ક્યારેય ફરી ગરમ કરવી ન જોઇએ.
👉 આપણે ચિકન જેવા ખોરાકને એટલા માટે પસંદ કરીએ કે શરીરમાં પ્રોટીન મળી રહે પરંતુ આપણે નથી જાણતા કે આ ચિકનને ફરી ગરમ કરતાં તેના પ્રોટીન કમ્પોઝર ખતમ થઇ જાય છે. પછી આપણે તેને ખાઇએ તો તે પચવામાં ઘણી જ મુશ્કેલી ઊભી થાય છે. બરાબર ન પચવાના કારણે કબજીયાત જેવી તકલીફ પણ થઇ શકે છે. તમે જાણતા જ હશો કે કબજીયાત જ સર્વ રોગનું મૂળ છે.
👉 ઇંડાએ પણ પ્રોટીનનો ખૂબ જ મોટો સ્ત્રોત છે. પરંતુ ઘણા લોકો બાફેલા ઇંડાને ફરી ગરમ કરીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેને ફરી ગરમ કરવાથી તેમાં કરવાથી તેમાં રહેલ પ્રોટીન તત્વ નાશ થાય છે અને તે ખાવાથી કોઇ ફાયદો નથી પરંતુ તેનાથી આપણો હાજમો જરુર ખરાબ થાય છે. તો આ વસ્તુને પણ ક્યારેય ગરમ ન કરવી.
🫕 આ છે એ પાંચ ખોરાક જેને ફરી-ફરી ગરમ કરીને ખાવાથી નુકશાન થાય છે. આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકશાન થાય છે. તો તેનાથી તો બચજો જ સાથે -સાથે જે વાસી ખોરાક છે તેનાથી પણ બચજો કેમ કે તે તમારા માટે હાનિકારક હોઇ શકે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.