સમાજમાં દરેક માણસને અલગ અલગ પ્રકારની આદત હોય છે. કોઈને નખ ચાવવાની, કોઈને આંગળીઓ હલાવવાની વગેરે. તેમાં આપણા ત્યાં ઘણા લોકો એવા હોય છે કે તે ખુરશી, પલંગ કે કોઈ જગ્યા પર બેઠા હોય ત્યારે પગ હલાવતા જ રહેતા હોય છે. ગમે એટલી વાર તેમને વડીલો સમજાવતા હોય છે. પરંતુ તેમને આ આદત છુટતી હોતી નથી.
મોટાભાગના લોકો પગ હલાવવા અશુભ માનતા હોય છે. નાનું બાળક વારંવાર પગ હલાવે તો મોટા કહે માતાને શારીરિક તકલીફ આવતી હોય અથવા માતા-પિતા બંનેનું આયુષ્ય ઓછું થાય, સાંજના સમયે જો પલંગ કે ખુરશી પર બેઠા બેઠા પગ હલાવતા હોય તો એવું કહે છે કે તે સમયે લક્ષ્મી માતા જો ઘરમાં પ્રવેશતા હોય તો આ ટેવના કારણે તે નારાજ થઈને પાછા જતા રહે છે. એવી ઘણી માન્યતા આપણે સાંભળી છે. અને વર્ષોથી આપણે માનતા પણ આવ્યા છે.
-ઘણા લોકો લાંબા સમય સુધી પગ લટકાવીને રાખે તો પણ સોજા આવી જતા હોય છે. તો તમે જો ખુરશી પર બેઠા બેઠા પગ હલાવશો તો પગમાં દુખાવાની સમસ્યા થાય છે. તમને પગમાં સાંધાનો દુખાવો થતો હોય છે. જો લાંબા સમય સુધી આ ટેવ રહે તો મોટી ઉંમરે ઢીંચણમાં ઘસારો આવી જાય છે. અને સાંધાનો દુખાવો થાય છે.
-જો તમે પલંગ કે સોફા પર બેઠા બેઠા પગ હલાવશો તો પગની જે નસો હોય તે વિપરીત દિશામાં કામ કરવા લાગતી હોય છે. એટલું જ નહીં પગની નસોનો સંબંધ હૃદય સાથે હોય છે. તો હૃદયને લગતી બીમારી પણ થઈ શકે છે. માટે બને તો પગ હલાવવા ન જોઈએ.
– આ રીતે જો તમને પગ હલાવવાની ટેવ હોય તો મગજને માનસિક રીતે તૈયાર કરો કે પગ નથી હલાવવા. કારણ કે તેનાથી ઘણી બધી તકલીફો થઈ શકે છે. જે તમે વિયાર્યું પણ ન હોય. આજથી આ આદતને હંમેશાં માટે છોડી દો.
શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. પણ આ નિયમ પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણો જોવા મળે છે. અને તે આજે આપણે જાણીશું. ક્યા કારણે આપણે ખુરશી પર બેઠા બેઠા પગ ન હલાવવા જોઈએ. -સોફા, ખુરશી, પલંગ પર બેઠા બેઠા પગ હલાવવીએ તો ધન સંબંધી તકલીફ ઉભી થાય છે જ. સાથે સાથે તમારા શરીરને પણ કષ્ટ પડતું હોવાથી આ ટેવ ભૂલવી જોઈએ.
ઘણી વખત પગ હલાવવાથી તમને તમારા પગની માંસપેશી દુખવા લાગતી હોય છે, તેના લીધે આગળ જતાં સમસ્યાઑ આવી શકે છે, તેથી જો બની શકે તો તમારી આ આદત સુધારી લેવી જોઈએ..
પગ વિષેની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.