લીલા શાકભાજી આપણા શરીર માટે ખુબ જરૂરી હોય છે. તેનાથી આપણને અનેક ફાયદા થાય છે. આવી જ એક શાકભાજી છે દુધી તેમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. દુધીની તાસીરને ઠંડી માનવામાં આવે છે. જે લોકોના શરીરમાં ગરમી વધારે હોય તેને દુધીનું સેવન જરૂર કરવું જોઈએ.
દુધી ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. દુધીનો ઉપયોગ વધારે પ્રમાણમાં રોગ દુર કરવા માટે થાય છે. જો દુધીને કાચી ખાવામાં આવે તો તેનાથી પણ ઘણા ફાયદા થાય છે. દુધી પીતનાશક,વીર્ય વર્ધક અને ધાતુને પુષ્ટ કરનારી હોય છે.
દુધીથી અનેક પ્રકારના ફાયદા થાય છે. જયારે ખુબ તાવ આવતો હોય અને માથું પણ જોરદાર દુખતું હોય ત્યારે એક દુધી લઈ તેને ખમણી લેવી પછી એક કોર્ટનના કાપડમાં ખમણેલી દુધી લઈ અને માથા પર બંધાવી દુધીની તાસીર ઠંડી હોવાથી માથાના દુખાવામાં રાહત મળશે. અને જો કોઈ તાવ અને માથાના દુખાવાથી ગાંડા કાઢતું હોય તો ગાંડપણમાં પણ રાહત મળશે.
માથાનો દુખાવો દુર કરવાનો બીજો ઉપાય પણ છે. તેના માટે દુધીના નાના-નાના ટુકડા કરી લેવા અને તેમાં થોડું પાણી ઉમેરવું પાણી સાથે તેમાં થોડી સાકર અને આંબલી પણ મિક્સ કરવી આ બધાને ધીમા તાપે 5 મિનીટ સુધી ઉકાળવા દેવું પછી તે પાણીને કાપડથી ગાળી ને પીવાથી માથાનો દુખાવો દુર થાય છે. અને માથાને ઠંડક મળે છે.
દુધીનું તેલ બનાવી માથામાં નાખવામાં આવે તેનાથી પણ માથાને ઠંડક મળે છે. તેલ બનાવવા માટે એક દુધી ખમણી લેવી તેને નારીયેળના તેલમાં મિકસ કરી દેવી તેલમાં દુધીને 7 થી 8 કલાક સુધી પલળવા દેવી પછી આ તેલને ગાળી એક બોટલમાં ભરી લેવું જેમ નોર્મલ તેલ યુઝ કરતા હોઈએ તે રીતે જ આ તેલને પણ યુઝ કરવું આમ કરવાથી મગજને ઠંડક મળશે.
દુધીના બીજ પણ વાળ માટે ફાયદાકારક છે. દુધીના બીજમાંથી પણ જો તેલ બનાવવામાં આવે અને તેનો રેગ્યુલર ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થાય અને જે લોકોના વાળ સફેદ થવા લાગ્યા હોય જો તે આ દુધીના બીજના તેલનો ઉપયોગ કરે તો વાળ સફેદ થતા અટકી જાય છે.
દુધીમાં 12% પાણી હોય છે. તેમાં ફાયબર અને એન્ટીઓકિસજન જે તમારા શરીરને બીમારીઓથી બચાવે છે. ઉનાળામાં ગરમીથી બચવા માટે દુધીના રસમાં ગોળ અથવા સાકાર મેળવી તેનું શરબત બનાવી પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. જો તમે 15 દિવસ સુધી દૂધીનું જ્યુસ પીવો તો તમને ઘણા ફાયદા થાય છે. જે લોકોને તેનો વજન ઓછો કરવો હોય તે સવારે ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાનું શરુ કરવું જોઈએ દૂધીનું જ્યુસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લગતી નથી તેનાથી વજન કંટ્રોલમાં રહે છે.
જો શરીરમાં ગરમી વધારે હોય અથવા શરીરમાં બળતરા થતી હોય કે શીળસ, ગુમડા અને નાકમાંથી લોહી નીકળતું હોય અથવા ગરમીના લીધે શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો તેના ઉપાય માટે દુધીના રસમાં સાકર,મધ અને ઘી ઉમેરી પીવાથી આવી બધી સમસ્યા દુર થશે. કોલેરા જેવા રોગને દુર કરવા માટે દુધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી પીવાથી પેશાબ વધુ આવે છે અને કોલેરામાં રાહત મળે છે.
ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા રહેતી હોય તેના માટે દુધી સેવન લાભાદાયક સાબિત થયું છે. હ્રદય રોગીઓને જમવાનું ઓછા પ્રમાણમાં જ લેવું જોઈએ હ્રદયના દર્દીઓ ને દુધીનું શાક અને દુધીનો રસ ફાયદેમંદ સાબિત થાય છે. તો આવા છે દુધીના જોરદાર ફાયદા જે દરેક વ્યક્તિ માટે છે ફાયદાકારક.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.