મિત્રો આપણા રસોઈ ઘરમાં ઘણી એવી વસ્તુઓ રહેલી છે જેનું સેવન જો નિયમિત રીતે કરવામાં આવે તો તમે તમારા શરીરમાં રહેલ અનેક બીમારીને દુર કરી શકો છો. અનેક વસ્તુઓના એવા તો ફાયદાઓ છે કે જેના વિશે જાણીને તમે હેરાન થઇ જશો. આથી જ આપણા વડીલો આપણને બધી જ પ્રકારની વસ્તુઓનું સેવન કરવાનું કહે છે. જેમ કે કડવી, ખાટી, તીખી, મીઠી, તુરી, ખારી વગેરે… આવી વસ્તુઓનો જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો ખુબ જ લાભ થઇ શકે છે.
આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેના વિશે મોટાભાગના લોકો બહુ ઓછુ જાણતા હોય છે. આજે જાણીશું નારિયેળ વિશે જેમ કે, લીલું નારિયેળ, સુકું નારિયેળ, પાકેલું નારિયેળ, નારિયેળનું છીણ, વગેરે. તેમજ તમે તેને બીજી વસ્તુઓમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. આમ નારીયેલ એ દરેક રૂપે તમારા માટે ફાયદાકારક છે. આજે આપણે નારિયેળના ઘણા ફાયદાઓ વિશે જાણીશું.
નારિયેળની અંદર કેલ્શિયમ, ફાઈબર, વિટામીન તેમજ બીજા ઘણા પોષક તત્વો રહેલા છે. આથી તે અનેક બીમારી સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય નારિયેળ વજન ઓછુ કરવામાં પણ ખુબ મદદ કરે છે. નારિયેળનું ખુબ ચાવીને સેવન કરવાથી મોં ની દરેક માંસપેશીઓ માં કસરત થાય છે.
જો તમે સુકું નારિયેળ ખાવ છો તો તેનાથી તમારું મગજ એકદમ તેજ થવા લાગે છે. મગજના દરેક સિગ્નલ ઝડપથી કામ કરવા લાગે છે. તમે જાણતા નહી હો કે આપણા મગજમાં ન્યુરોન્સ આવેલા હોય છે તેના પર એક પડ હોય છે આ પડને કોઈ નુકસાન ન થાય તે માટે સુકું નારિયેળ ખાવું જોઈએ.
આ સિવાય જો તમારા લોહીનું ઉણપ હોય તો તેની કમી પૂરી કરવા માટે તમારે સુકું નારિયેળ ખાવું જોઈએ. તેનાથી લોહીની કમી તરત જ પૂરી થઇ જાય છે. અને એક ખાસ વાત એ કે મહિલાઓને જો કમજોરી રહેતી હોય, થાક લાગતો હોય તો તેના માટે મહિલાઓએ હંમેશા સુકું નારિયેળ ખાવું જોઈએ. તેનાથી ઝડપથી અને સારો ફાયદો થશે. એનેમિયાના રોગી માટે પણ નાળિયેર ખુબજ મદદગાર બને છે.
આ સિવાય સુકું નારિયેળ એ પાચનશક્તિ ને પણ મજબુત કરવામાં મદદ કરે છે. તેને જો દરરોજ ખાવામાં આવે તો કબીજીયત, ઝાડામાં પડતું લોહી, ઝાડા જેવી સમસ્યા દુર થઇ જાય છે. આથી જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમણે પોતાના ખોરાકમાં નારિયેળનો સમાવેશ કરવો જોઈએ.
એવું કહેવામાં આવે છે કે યુવતીઓ માટે નારિયેળ એ ખુબ સારું છે. તે યુવતીઓને બધી રીતે મજબુત કરે છે. માસિક ધર્મના કારણે યુવતીઓમાં શારીરિક રીતે કમજોરી આવી જાય છે આથી આ કમજોરી ને દુર કરવા માટે નારિયેળ એ સારો વિકલ્પ છે. બધી જ સ્ત્રીને આ વસ્તુનો ઉપયોગ કામ નથી આપતો તે માટે પહેલા ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ.
સુકું નારિયેળ એ બ્લડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જેના કારણે જો તમારું હૃદય બ્લોક થઇ જાય તો તેના માટે સુકું નારિયેળ ખુબ સારું છે. હૃદયની નસો ખુબ સારી રીતે કામ કરે છે. ભવિષ્યમાં હાર્ટએટેક આવવાની સમસ્યા ખુબજ ઓછી રહે છે. આમ જો તમે નિયમિત રીતે તેનું સેવન કરો છો તેનાથી અનેક બીમારી તમારાથી કોસો દુર ભાગે છે. આથી નારિયેળનું સેવન એ ખુબ સારું છે.
નારિયેળ એ હાડકાઓ ને મજબુત કરવાનું કામ કરે છે. આથી જો તમારા હાડકાઓ નબળા છે તો તમારે નારિયેળ નું સેવન કરવું જોઈએ. હાડકાઓ ને મજબુત કરવા માટે મિનરલ્સ અને કેલ્શિયમની જરૂર હોય છે. જો તેની કમી હોય તો તેના કારણે આર્થરાઈટીસ, ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારી થઇ શકે છે. અને ઉંમર વધવાની સાથે હાડકાઓ પણ કમજોર થવા લાગે છે. આથી તમારે યુવાનીમાં જ સુકા, લીલા નારિયેળનું સેવન શરુ કરી દેવું જોઈએ.
એક અન્ય ફાયદામાં જાણવા મળ્યું છે કે જો તમે નારિયેળનું સેવન કરો છો તેનાથી તમને ચામડીને લાગતી બીમારી નથી થતી. તેમજ સ્તનપાન કરવાતી મહિલાઓ પણ સુકું નારિયેળ પાણીમાં પલાળીને ખાવું જોઈએ. તેનાથી બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહે છે.
સૂકું નારિયેળ એ કેન્સર જેવી બીમારીને પણ દુર રાખી શકે છે. આથી જો તમારા પરિવારમાં કોઈને પણ પહેલા કેન્સર થયું હોય તો તમારે સાવધાની રાખવી. અને સુકા નારિયેળનું સેવન કરવું. પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે. આ કેન્સર વિષે થોડું જાણી લો. પ્રોસ્ટેટ કેન્સર જે 50 વર્ષથી મોટી ઉમરના વ્યક્તિઓને વધારે થાય છે. આ કેન્સર પેશાબના માર્ગમાં વધારે થાય છે, આ એક રિસર્ચ મુજબ જાણવામાં આવેલું છે. તે પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણોને દૂર કરવા રોજે થોડું થોડું સૂકું ટોપરું સેવન કરવું જોઈએ.
બીજું છે, બ્રેસ્ટ કેન્સર જે વધારે મહિલાઓમા જોવા મળે છે એક જાણકારી મુજબ, 8 કલાકમાં એક મહિલાનું મોત બ્રેસ્ટ કેન્સરના કારણે થાય છે. તેથી તમે આ કેન્સર કેટલું ખરનાક છે તે જાણી શકશો. બ્રેસ્ટ કેન્સરને આપણે સ્તન કેન્સરના નામે ઓળખીએ છીએ. તેથી મહિલાઓને પણ રોજે થોડી થોડી માત્રામાં સૂકું ટોપરું ખાવામાં ઉપયોગ કરવો જોઈએ.
આ ટોપરું તમે કોઈ પણ સમએ ખાઈ શકો છો, પણ જો સવારે ભૂખ્યા પેટે કે બપોરે ભૂખ્યા પેટે ખાશો તો વધુ મદદગાર સાબિત થશે. જમ્યા બાદ ટોપરું ખાવાથી વધુ લાભ નહિ મળી શકે. તેમજ રાત્રે પણ જો તમે મોડેથી ટોપરું ખાવ છો તો પણ એ બહુ મદદગાર નહિ રહે. પણ દિવસ દરમિયાન જો થોડી ભૂખ લાગેલી હોય અને ખાવ તો તે સૌથી ઉત્તમ છે. બપોર બાદ ના સમયે પણ ખાઈ શકો છો.
બની શકે તો 50-100 ગ્રામ ટોપરું ખાવ રોજ તો પણ સારું કહેવાય. અને વધુ ખાશો તો પણ તેના કોઈ નુકશાન નથી. પણ એક સાથે વધુ ખાવા કરતા રોજ થોડું થોડું ખાવા માં જ ભલાઈ છે. કહેતા નથી હદથી વધુ અમૃત પણ ઝેર સમાન છે. માટે રોજ થોડું થોડું ટોપરું ખાવ એ શરીર માટે ખૂબ સારું કહેવાય.. ધન્યવાદ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.