કિવી એક એવું ફળ છે. જે આખા વર્ષ દરમિયાન બજારમાં સરળતાથી મળી રહે છે. તેને સુપર ફૂડની શ્રેણીમાં મૂકવામાં આવે તો કોઈ ખોટું નથી. કિવીની કિંમત બજારમાં બીજા ફળો કરતાં વધારે હોય છે. પરંતુ તેને નીચે જણાવ્યા મુજબ ખાશો તો થશે અનેક ફાયદા.
કિવીમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. જે સ્વાસ્થ માટે ઘણા લાભદાયી છે. કિવીમાં વિટામિન-સી, વિટામિન-કે, વિટામિન-ઈ, ફોલેટ, પોટેશિયમ, એન્ટી ઓક્સીડન્ટ અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. તેના કાળા નાનકડાં બી અને રેશા પણ શરીર માટે ઘણા ફાયદાકારક હોય છે. તેના દરરોજ સેવનથી ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકાય છે. તેને સલાડ, સ્મૂધી, અથવા સવારે ફ્રૂટ ચાટમાં પણ લઈ શકો છો. ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
આંખોની રોશની માટે- અત્યારે 100માંથી 90 લોકોને આંખના નંબર આવી જાય છે. તેમના માટે કિવી ફાયદાકારક સાબિત થાય છે. કિવી આંખની દ્રષ્ટિહીનતાના પ્રાથમિક કારણો એવા મેક્યુલર ડિજનરેશન સામે રક્ષણ આપે છે. એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે દરરોજ ત્રણ કિવી ખાવાથી મેક્યુલર ડિજનરેશનમાં ઘટાડો થાય છે. કિવીમાં જે ઝેક્સાન્થિન અને લ્યુટીન જેવા એન્ટી ઓક્સીડન્ટ તત્વો રહેલા હોવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે.
પાચનક્રિયા- કિવીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. જે પાચનશક્તિ મજબૂત અને વધારવાનું કામ કરે છે. ફાઇબર સિવાય પણ તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી તે ખોરાક સારી રીતે પચાવી શકે છે. કહેવાય છે કે ભારે ખોરાક લીધા પછી જો કિવી ખાવામાં આવે તો ખોરાક સારી રીતે પચી જાય છે. કિવીમાં રેચક અસર પણ હોય છે. જે સુસ્ત પાચનતંત્રને મદદ કરી શકે છે. નબળા પાચનતંત્રને સુધારવામાં સારી મદદ કરે છે.
સોજા ઓછા કરવામાં મદદરૂપ- કિવીમાં ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. આવામાં જો તમને આર્થરાઇટિસની ફરિયાદ છે તો કિવીનું નિયમિત સેવન કરવાથી ફાયદો થશે. તે સિવાય પણ શરીરની અંદરના ઘાને ભરવા અને સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
રોગ પ્રતિકારક શક્તિ- કિવીમાં વિટામિન-સી અને એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા તત્વો રહેલા છે. તેમાં કેરોટીનાઈડ અને પોલિફેનોલ શરીરને મુક્ત રેડિકલની ખરાબ અસરોથી બચાવે છે. અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત બનાવવાનું કામ કરે છે.
ડાયાબિટીસને કંટ્રોલ- અત્યારે મોટાભાગના લોકો ડાયાબિટીસની સમસ્યાથી પીડાય છે. જો તમારે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો હોય તો કિવીનું સેવન અવશ્ય કરવું જોઈએ. કિવીમાં લોહીમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરી ઇન્સ્યુલિનનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. જો વધારે ડાયાબિટીસ રહેતો હોય અથવા 1 થી વધારે કિવી લેવાય નહીં તેની મૂંઝવણ હોય તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
લોહી ગંઠાતું અટકાવે- કિવી ફેટ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં અને લોહી ગંઠાતા રોકવામાં કારગત સાબિત થાય છે. લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ પર કોઈ પણ હાનિકારક અસર થતી નથી. એક રિસર્ચ મુજબ રોજ બેથી ત્રણ કિવી કુદરતી રીતે લોહી પાતળું રાખવામાં સહાયરૂપ સાબિત થાય છે. આ રીતે હૃદય પણ તંદુરસ્ત રહે છે. અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. તેના નિયમિત સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો થાય છે.
સગર્ભા માટે- ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં થાક, નબળાઈ, એનિમિયા જેવી સમસ્યા થતી હોય છે. તો કિવીમાં ફોલેટ સારી એવી માત્રામાં રહેલું હોવાથી સગર્ભા સ્ત્રીઓ માટે આ મિનરલ્સ ખૂબ જ જરૂરી છે. તો આ સમયગાળામાં કિવી ખાવી ખૂબ જ જરૂરી છે.
કિવીના સેવનથી વૃદ્ધત્વ જલદી આવતું હોય તો ઘટાડવાનું કામ કરે છે. કારણ કે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. તેથી તેનું નિયમિત સેવન કરવાથી સ્કીન સારી રહે છે. અને વૃદ્ધત્વ જલદી આવતું નથી. કિવીનો ઉપયોગ તમે ફેસપેક કે સ્ક્રબ બનાવવા પણ કરી શકો છો. આ રીતે કિવી ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે.
કિવિ ફળને કેવી રીતે ખાવું – જનરલી કિવિ ફળ આપણે બીજા ફળ ખાઈએ તેવી રીતે જ ખાવાનું હોય છે. પણ અમુક ડાયેટિશિયનના જણાવ્યા મુજબ તમે જો કિવિ ફળ એકલું ખાવ તો વધુ ફાયદો કરે છે. તેમજ ખાલી પેટે ખાવાથી પણ વધુ લાભ મળે છે. જમ્યા બાદ કિવિ ફળ ખાવાનું ટાળવું. જમ્યા બાદ અંદાજે 2-3 કલાક બાદ કિવિ ફળ ખાવું જોઈએ. તેમજ સવાર ના સમયે કિવિ ફળ ખાવું એ વધુ યોગ્ય છે.
કિવિ ફળની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.