ઘણા લોકોને આદત હોય છે કે રાત્રે મોડા સુધી જાગવું અને સવારે મોડા ઉઠવું. તેમાં કોઈક દિવસ તહેવાર હોય કે કોઈ ગેસ્ટ આવ્યા હોય અથવા ફંક્શન હોય ત્યારે રાત્રે મોડા સૂવાનું થાય એ વાત અલગ છે. પરંતુ રોજ રાત્રે મોડા સુધી જાગવાની આદત માણસને કેટલીક વખત નુકશાન પહોંચાડતી હોય છે.
આપણી આસપાસ ઘણા લોકો એવા હોય છે કે જે રોજ રાત્રે કામ વગર 12 વાગ્યા સુધી જાગે અને પછી સવારે નોકરી ધંધે જવાનું હોવાથી સવારે વહેલા ઉઠવાનું હોય. તેમાં પણ કેટલાક લોકોને તો રોજની આદત પડી ગઈ હોય છે કે સવારે 10 વાગે ઉઠવાની, પરંતુ આ બધી ટેવો તમારું શરીર ખરાબ કરી શકે છે. તેમાં વૈજ્ઞાનિકોએ જે લોકો 12 વાગ્યા સુધી જાગતા હોય તેમના માટે કેટલાક તારણો કાઢ્યા છે. તેવા લોકોની જીવન પર કેવી અસર પડે છે. તેમની બુદ્ધિ કેવી રીતે કામ કરે છે. તેની જાણકારી આપીશું.
-આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ બંનેમાં કહ્યું છે કે જે રોજ સવારે વહેલો ઉઠે તેની બળ, બુદ્ધિ, વીર, ધનમાં વધારો થાય છે. પરંતુ તે નિયમો અત્યારની પેઢીએ બદલી નાખ્યા છે. સવારે વહેલા ઉઠવાથી આપણું શરીર સ્ફૂર્તિલું અને ઉર્જાવાન રહે છે. મગન પણ ફ્રેશનેશ અનુભવે છે જેવા ઘણા કારણો છે.
-જે માણસ સવારે ઉઠે છે તેને સૂર્યના કિરણોની વધારે સારી અસર થતી જોવા મળે છે. કેમ કે તે વહેલા ઉઠી કસરત કરે વોકિંગ કરે. જેનાથી તેમના મગજમાં રહેલ પ્રી ફ્રન્ટલ કોન્ટેક્સ સવારે વધારે એક્ટિવ રહેતું હોય છે. જે રીતે મગજ પ્લાનિંગ કરે છે તે રીતે જ તેમની ઇચ્છાશક્તિમાં વધારો થાય છે. તે જે કોઈ નિર્ણયો લે તેમાં પ્રોત્સાહન મળતું રહે છે.
-તે સિવાય પણ તેમનું શરીર વાતાવરણ સાથે જલદી સેટ થઈ જાય છે. માટે બને ત્યાં સુધી સવારે વહેલા ઉઠી જવું જોઈએ.
-પરંતુ જે લોકો રાત્રે મોડા સૂવે છે તે લોકો આળસુ હોય છે તેવું બધા લોકો કહેતા હોય છે. પરંતુ તમને વાત માનવામાં નહીં આવે તેમની બૌદ્ધિક ક્ષમતા ઘણી વધારે હોય છે. એક વાત છે કે તે લોકો સમાજ સાથે જોડાઈ શકતા નથી. કેમ કે દરેક કામમાં મોડા ઉઠતા હોવાથી વહેલા ઉઠી શકતા નથી. બધા કરતાં દરેક કામમાં તે પાછળ પડી જતા હોય છે.
-ઘણા લોકો એવા હોય છે કે રાત્રે 3 વાગે સૂવે અને સવારે 12 કે 11 વાગ્યે ઉઠતા હોય છે. તેવા લોકોની ઉંઘ પૂરી થતી હોતી નથી જેના કારણે એમના મગજ પર અસર પડતી હોય છે. મગજમાં જે ફંક્શનીંગ હોય છે. તેની પર ખાસ કરીને અસર પડતી હોય છે. જેનાથી શારીરિક અસર પણ જોવા મળે છે. આપણા મગજમાં રહેલા વ્હાઈટ મેટલ પણ ઘણી વખત ઘટવા લાગે છે. જેનાથી હોર્મોન્સનો પ્રોબ્લેમ થાય છે.
-આપણા મગજમાં કેટલાક ખુશ રાખનાર હોર્મોન્સ હોય છે તેનું નામ ડોપામાઈન, સિરોટોનીન. તેના પર અસર થાય છે. તેમની ઇચ્છાશક્તિ નબળી પડતી જાય છે. જેના લીધે મગજ પર તણાવ વધતો જાય છે. માણસ ઘણી વખત તેના કારણે ચીડિયા સ્વભાવ વાળું, આળસુ, વજનમાં વધારો વગેરે જેવા કારણો થઈ શકે છે.
-બીજી વાત એ પણ છે કે જે લોકોને મગજ પર સ્ટ્રેસ વધારે હોય તો તે કોઈ પણ પરિસ્થિતિમાં રિસ્ક ઉઠાવવા તૈયાર હોય છે. જેના કારણે નવી નવી તક ઉભી કરતા રહે છે. જેના લીધે તે લોકો સર્જનાત્મક બનતા રહે છે. જેથી તેમનો આર્થિક વિકાસ થતો જોવા મળે છે. તેમની સમજવાની શક્તિમાં પણ વધારો થાય છે. તે ઉપરાંત બોદ્ધિક ક્ષમતા વધે છે. આ રીતે મોડા સૂવાના કેટલાક ફાયદા છે, પરંતુ નુકસાન વધારે છે.
જો રાત્રે મોડા સુતા લોકોમાં રહેલી શક્તિ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.