🐁આપણે આપણા ઘરોમાં ગમે એટલી ચોખ્ખાઇ રાખીએ તો પણ આ ઉંદર, ગરોળી, માખી અને મચ્છરનો ઉપદ્રવ આપણને પરેશાન કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે બહેનો ગમે તે કરવા માટે તૈયાર હોય છે. તો દોસ્તો આજે અમે તમારી આ મુશ્કેલીનો એકદમ સરળ ઉપાય લઈને આવ્યા છીએ. જેમાં તમારે માત્ર ત્રણ જ રૂપિયાનો ખર્ચ કરવાનો છે. અને પરેશાની તમારાથી કોષો દૂર..
🦎તમામ ઘરોમાં બહેનો આ બીમારી ફેલાવનાર જીવ-જંતુઓથી પરેશાન હોય છે. પરંતુ તેને પોતાના ઘરમાં આવતા સદંતર રોકવા મુશ્કેલ છે. પણ તેને આપણા ઘરમાં રહેવા દેવા એ પણ આપણા માટે મુશ્કેલ છે. કેમ કે આવા જીવો આપણને બીમાર પાડે છે. આ ઉંદર, ગરોળી, માખી અને મચ્છરને આપણે એક એવા ઉપાયથી ભગાવી શકીએ છીએ. જે ઉપાય ઘરેલુ અને સામાન્ય ખર્ચમાં જ પૂર્ણ થાય છે. અને મહત્વની વાત તો એ છે કે આનાથી આપણી હેલ્થને કોઈ નુકસાન પહોંચતુ નથી. અને સાથે સચોટ રિજલ્ટ પણ આપે છે.
🦎જો તમારા ઘરમાં ગરોળીનો વધારો છે તો તેના માટે તમે મોરના 6 થી 7 પિછાને દીવાલો પર ચોંટાડી દો. આ ગરોળીને મોરની ખૂબ જ બીક લાગે છે કેમ કે આ મોર ગરોળીને ખાય છે માટે ગરોળીઓ મોરના પિછાઓથી ડરે છે.બીજું કે કોઈ ઈંડાના ઉપરના ફોતરાંને ઘરમાં ઊચી એવી જગ્યાઓ પર મૂકી રાખો તો પણ ગરોળીનો ઉપદ્રવ ઓછો થાય છે કેમ કે ગરોળીને ઈંડાની સુગંધ બિલકુલ પસંદ નથી.
🐁જો તમારા ઘરમાં ઉંદરોનો ઉપદ્રવ વિશેષ રહે છે. તો એક સચોટ ઉપાય છે જેમાં તમારે થોડું રૂ લેવાનું છે અને એ રૂ પર ફિનાઈલ લગાવી દેવાની અને જે જગ્યા પર ઉંદરોની અવર-જવર વિશેષ રહેતી હોય તેવી જગ્યા પર આ રૂને તમારે રાખી દેવાનું છે. આ ફિનાઇલની સ્મેલથી ઉંદરો ઘરમાંથી પલાયન થઈ જશે.
🐝માખીઓના ત્રાસથી સૌ કોઈ પરેશાન હોય છે અને તેનાથી મુક્તિ મેળવવા માટે આપણે ગમેતે કરવા માટે તૈયાર હોઈએ છીએ. કેમ કે આ માખી જ આપણને બીમાર પાડવામાં મોટો ભાગ ભજવે છે તે ઘરની બહાર ગમે તેવી ગંદી જગ્યાઓ પર બેસીને ઘરમાં આવીને આપણા ખોરાક પર બેસી આપણને બીમાર પાડે છે.
🐝આપણે માખીઓથીબચવા માટે એક સરળ ઉપાય કરી શકીએ છીએ. એક મોટો રુનો ગોળો બનાવો અને તેને એક એવા તેલમાં પલાળો કે જેની ખૂબ જ તીવ્ર એવી સ્મેલ આવતી હોય હવે આ ગોળાને તમારા ઘરના મુખ્ય દરવાજે બાંધો જેનાથી ઘરમાં રહેલી માખીઓ તો ભાગી જ જશે પણ નવી માખીઓ અંદર જ નહીં આવે.
🦟જો તમે મચ્છરના ત્રાસથી પરેશાન છો તો આ એક સરસ ઉપાય છે જે સો ટકા પરિણામ આપે છે. તેના માટે તમારે 3 થી 4 કળી લસણની લેવાની છે. તેની બારીક વાટી લો. હવે આ પેસ્ટને થોડા પાણીમાં ઉકાળો. ત્યાર પછી તમારે આ પાણીને એક સ્પ્રેમાં ભરી લેવાનું છે અને જે રૂમમાં કે જે જગ્યા પર વિશેષ મચ્છર હોય ત્યાં આ સ્પરેનો છંટકાવ કરો જેનાથી મચ્છરો તુરંત જ ગાયબ થઈ જાય છે.
🦟આપણા ઘરોમાં વંદાઓનો ત્રાસ પણ ઘણો રહેતો હોય છે. તે કાયમી વંદાના ત્રાસથી છૂટવા માટે એક ઘરેલુ ઉપાય છે. તેમાં તમારે લસણ, ડુંગળી અને કાળામરીને એક સરખી માત્રામાં લઈને તેને પીસીલો અને આ પેસ્ટને જ્યાં વધારે વંદા આવતા હોય ત્યાં રાખીદો. આ સ્મેલ એટલી તીવ્ર હોય છે કે તેનાથી વંદા ભાગી જાય છે. જો તમે કાયમી તમારા ઘરને વંદાથી મુક્ત કરવા માંગો છો તો મહિનામાં એક વાર આ ઉપાય ચોક્કસ કરો.
જો ઘરમાંથી જીવજંતુઓ દૂર કરવા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.