💁દોસ્તો, આપણે જો રસોઈને સ્વાદિષ્ટ બનાવવી છે તો તેમાં મીઠાની સૌથી પહેલી જરૂરિયાત રહેશે,તેના વગર રસોઈમાં સ્વાદ નહીં આવે. આ તો વાત થઈ મીઠાનું રસોઈમાં શું મહત્વ છે તેની, પરંતુ દોસ્તો આ મીઠાને આપણે આપણા ઘરમાં કેવી રીતે સ્ટોર કરીએ છીએ તે બાબત આપણા જીવનના ઉતાર-ચડાવની સાથે સંકળાયેલી છે. તો આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી આપણે જઈએ કે મીઠાનું જ્યોતિષ શાસ્ત્રની સાથે શું કનેક્શન છે.
🧂આપણે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે તેમાંથી નીકળવા માટે જ્યોતિષની પાસે જતાં હોઈએ છીએ. તો આજે આપણે જ્યોતિષ શાસ્ત્રની જ વાતને જાણીશું. તેમાં એવું કહેવાયું છે કે મીઠાને ચંદ્ર અને શુક્રનું પ્રતિક મનાય છે. ચંદ્ર મનનો, અને શુક્ર ભૌતિક વસ્તુઓનો કારક માનવામાં આવે છે. આપણી રસોઈને તો મીઠું સ્વાદ આપે છે પરંતુ તે તેની ભૌતિક વસ્તુ અને મનને સાંભળવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
🧂દોસ્તો જો તમે તમારા ઘરમાં મીઠાને કોઈ સ્ટીલના ડબ્બામાં રાખો છો, તો આમ થવાથી ચંદ્ર અને શનિનો મિલાપ થાય છે, જે તમારા માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. તમે કદાચ એ વાત નહીં જાણતા હોય કે લોખંડ અને સ્ટીલ જેવી ધાતુને શનિની પ્રતિક માનવામાં આવે છે. અને તમે આ સ્ટીલના ડબ્બામાં મીઠું રાખો તો ખૂબ ઘાતક યોગ બનવાથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને તેની સિધ્ધી જ અસર તમારા ઘરની મહિલા વર્ગ પર પડે છે તેઓ બેચેની, ક્રોધ, ચીડિયાપણું વગેરે જેવી તકલીફની તે શિકાર બનવા લાગે છે.
🧂દોસ્તો, આપણે મીઠાને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીએ છીએ પરંતુ આમા રાખવાથી પણ આપણે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. હા આપણા ઘરમાં બીમારી આવી શકે છે, અને એ તકલીફ એટલી વધારે રહે છે કે આપણી આવક પણ ઓછી પડે એટલો ખર્ચ દવાખાનામાં આવી શકે છે. તો યાદ રાખો કે પ્લાસ્ટિકની બોટલમાં ક્યારેય મીઠું ના ભરવું.
🧂તમને લોકોને એક વિચાર આવતો હશે કે આપણે સ્ટીલમાં કે પ્લાસ્ટિકના ડબ્બામાં મીઠું નથી ભરવાનું તો હવે શેમાં તેને ભરી શકાય ? તો તમારે મીઠાને કાચની બરણીમાં ભરવું સૌથી ઉત્તમ રહેશે. કાચને રાહુનું પ્રતિક માનવામાં આવે છે, આમ જો રાહુ અને કેતુ જો ભેગા થાય તો તેનું શુભ પરિણામ આવે છે. અને તેનાથી આપણા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થઈને સૌ સારું થવા લાગે છે.
🧂તમારે એક વાત હંમેશા યાદ રાખવી કે મીઠું ક્યારેય કોઈના હાથમાં હાથો હાથ ના આપવું જોઈએ આમ કરવાથી આપણું નસીબ નબળું પાડવા લાગે છે, બીજું કે આપણે કયારેય કોઈને મીઠું આપીએ છીએ તો તે કોઈ વાસણમાં આપવું જોઈએ નહીં કે પેકેટમાં આટલી તકેદારી આપણી જીંદગીને ખુશહાલ બનાવી શકે છે.
🧂એક ખૂબ જ ઉપયોગી વાત કે જો તમારે કોઈ વ્યક્તિની સાથે અણબનાવ છે એટલે કે બનતું નથી તો એ વ્યક્તિના ઘરનું મીઠું તમારે ક્યારેય ના ખાવું જોઈએ જો તમે તેના ઘરનું મીઠું ખાશો તો તમારી બુધ્ધિ પણ તેના જેવી જ થઈ જશે. તો મીઠું નખેલી કોઈ પણ ચીજ તેના ઘરની ના ખાવી.
🧂એક ખૂબ સરસ ઉપાય છે, જો તમારા ઘરમાં મુશ્કેલીઓ વરંવાર આવતી હોય કે કોઈ બીમારીઓ રહેતી હોય તો તેના માટે તમારે એક કાચના ગ્લાસમાં મીઠું ઉમેરીને તેને પાણીથી ભરીલો, આ ગ્લાસને તમારા ઘરમાં નૈઋત્ય ખૂણામાં રાખીદો. જ્યારે તેમા પાણી ખલાસ થાય ત્યારે ફરી તેને પાણીથી ભરીદો. આમ કરવાથી રાહુનો દોષ દૂર થઈને સુર્ય, ચંદ્ર અને શુક્રની તમારા પર કૃપા થાય છે. તમારા ઘરમાં ધન, ધન્ય આવે છે, સૌ મંગળ થવા લાગે છે.
નમક વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.