આપણા ભારતીય રસોડામાં દહીંનો ભરપુર ઉપયોગ છે. મોટાભાગની મહિલાઓ ઘરે મેળવેલા દહીંમાંથી બનાવેલી છાશ ઉપયોગમાં લેવાનું પસંદ કરે છે. પરંતુ તેમની ફરીયાદ હોય છે કે દહીં બરાબર જામી નથી રહ્યુ. તેમના દહીમાં પાણી થઈ જાય છે અથવા તે ઢીલુ રહે છે. પરંતુ આજે દહીં બનાવવાની રેસીપી અમે તમને જણાવીશુ.
- જાણો દહીં કેવી રીતે જમાવવું.
દહીંવડા, ચાટ, દહીંપુરી જેવી વાનગીઓ એવી છે જેમાં જામેલા દહીંની જરૂર પડે છે. જો દહીં જામેલુ ન હોય તો આ વાનગીઓનો સ્વાદ આવતો નથી. આ સીવાય દહીં તીખારી અને ચટણી બનાવવામાં પણ દહીંનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો જમવામાં પણ દહીંનો ઉપયોગ કરે છે. તેવામાં જો દહીં યોગ્ય રીતે જામેલુ ન હોય તો તેનો સ્વાદ બરાબર આવતો નથી. માટે બહેનો, આજે તમે દહીં જમાવવાની યોગ્ય રીત શીખી લો.
- દહીં જમાવવાની પહેલી રીત – (સામાન્ય વાતાવરણ હોય ત્યારે)
કેટલીક મહિલાઓની એવી ફરીયાદ હોય છે કે દહીં બરાબર જામતુ નથી. અને માટે તે દહીંને ફેંકી દે છે. કારણ કે તેનો કોઈ ઉપયોગ થઈ શકે તેમ તેને લાગતુ નથી. પરંતુ અમે તમને એવી રીત આપીશુ કે તમે બેસ્ટ રીતે દહીં જમાવી શકો છો. તો સૌથી પહેલા દહીં મેળવવાની રીત જાણી લો.
સામાન્ય વાતાવરણમાં દહી જમાવવું આસન છે નવશેકા દુધમાં દહી કે છાશની એકથી દોઢ ચમચી નાખો. દહીં કે છાશ નાખીને તેને એક જ દિશામાં લગભગ ત્રણથી પાંચ મીનીટ સુધી હલાવો. આ દુધ હવે જામવા માટે તૈયાર છે. તે આઠથી દસ કલાકમાં જામી જશે.
- દહીં જમાવવાની બીજી રીત – (ઠંડુ વાતાવરણ હોય ત્યારે)
સૌથી પહેલા તો નવશેકા દુધમાં દહી કે છાશની એકથી દોઢ ચમચી નાખો. પછી તેને હલાવી લો. ઠંડી ઋતુમાં દહીં જમાવવા માટે યોગ્ય વાતાવરણ હોવુ જરૂરી છે. ખાસ કરીને ચોમાસા અને શીયાળાની ઋતુમાં દહીંને ગરમી મળવી જોઈએ. એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જેથી દહીંને ગરમી મળી રહે. આ સીવાય એવી જગ્યા એ પણ રાખવુ જોઈએ કે જ્યા તે વાસણ સ્થીર રહે. માટે દહીં સારી રીતે જામી શકે.
- ઠંડી ઋતુમાં દહીં બરોબાર જામ્યું ન હોય, ત્યારે આ ટિપ્સ ફોલો કરો એટલે દહીં 15 મિનિટ માં જામી જશે.
જ્યારે ઠંડુ વાતાવરણ હોય જેમ કે શિયાળો કે ચોમાસનું ત્યારે દહી બારોબાર જામે નહીં એ દહીમાં વાસ આવે અને તે ખાવા લાયક કે બીજા કોઈ પણ ઉપયોગમાં લઈ શકાય એમ ના હોય ત્યારે સ્ત્રીઓ એ દહીને ફેકી દે છે પણ આવું કરવાની જરૂર નથી. એ જ દહીને ફરીથી સારી રીતે જમાવવા માટે નીચે પ્રમાણે કરો.
સૌથી પહેલા એક વાસણમાં પાણી લો અને તેને ગરમ કરો. આ પાણી તમારે ઉકાળવાનું નથી અને તેને સાવ નવશેકુ પણ થવા દેવાનું નથી. આ પાણી માપસર ગરમ હોવુ જોઈએ. હવે જે વાસણમાં મેળવેલુ દૂઘ છે તેને પાણી વાળા વાસણમાં મુકો. પણ યાદ રહે પાણી એટલુ પણ વધુ ન હોવુ જોઈએ કે તે દૂધ વાળા વાસણમાં પાણી ચાલ્યું જાય. હવે પાણી વાળા વાસણને ઢાંકી દો. દહીં વાળા વાસણને પાણી વાળા વાસણમાં 15 મીનીટ સુધી રાખી દો.
ત્યાર પછી દહીં વાળુ વાસણ કાઢી લો. બહાર કાઢ્યા બાદ તમે જોશો કે દહીં જામી ગયુ છે. પરંતુ આ જામેલા દહીંમાં તમે ચમચી ન નાખશો. આ દહીંને તમે ફ્રીઝમાં મુકી દો. ફ્રીઝમાં રાખ્યા પછી આ દહીં જામી જશે. આ રીતે જામેલુ દહીં પાણી વાળુ પણ નહી થાય અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગશે. તો હવે આ રીતે જમાવેલા દહીની વાનગીઓ તમે બનાવશો તો તમારી વાનગીઓ પણ સ્વાદીષ્ટ બનશે અને તમારા પરીવારજનોને પણ આ વાનગી ખુબ ભાવશે.