💁પૃથ્વી પર જન્મેલા દરેક જીવનું પોતાના જન્મની સાથે જ તેનું મૃત્યુ નિશ્ચિત કરાયેલું જ હોય છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે જે એ વાત જ સત્ય છે. આપણા સમગ્ર જીવનની તમામ કડીઓ આપણા વેદ, ઉપનિષદ અને આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. જેમ મૃત્યુ એ એક સત્ય છે તેમ જ આપણા શાસ્ત્રો પણ સત્ય છે. અને આ સત્ય એવા છે કે તે ધરા પર જ્યાં સુધી જીવ સૃષ્ટિ છે તે પણ ત્યાં સુધી રહેલા છે.
💁મનુષ્યનો જ્યારે અંતિમ સમય હોય છે ત્યારે તેને થોડી ક્ષણો પહેલા તેના શરીરની સાથે શું થાય છે, કેવા લક્ષણો જોવા મળે છે મોતની પહેલા કેવા કેવા ચિત્રો જોવા મળે છે, તે તમામ બાબતોનો ઉલ્લેખ આપના શાસ્ત્રોમાં જોઈ શકાય છે. હા દોસ્તો આપણા શાસ્ત્રોમાં આ તમામ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.
💁દોસ્તો મોત છે એ જ હકીકત છે તેનાથી ક્યારેય કોઈ પણ ભાગી શકતું નથી,તેનો તો સૌ કોઈએ સ્વીકારવી જ પડે. પરંતુ હજી આપણા સૌના મનમાં એક પ્રશ્ન તે સળવળી જ રહ્યો છે કે આ મૃત્યુ આખરે છે શું ? આપણા શાસ્ત્રો અનુસાર કહેવાયું છે કે મૃત્યુ તો માત્ર આ નસ્વર એવા શરીરનું જ થાય છે, આત્મા તો અમર છે. આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી.
💁જ્યારે કોઈ પણ જીવનું મૃત્યુ તેની ખૂબ જ નજીક હોય ત્યારે સૌથી પહેલી અસર તેની દ્રષ્ટિ પર થતી હોય છે, તે વ્યક્તિને ઝાંખું દેખાવા લાગે છે કે પછી બિલકુલ દેખાતું જ નથી. જે લોકોનું મૃત્યુ નજીક હોય તેવા લોકોને જો તેનું પોતાનું પ્રતિબિંબ દેખાય તો તે ખૂબ જ ધૂંધળું કે પછી કોઈ રાક્ષસી પ્રતિબિંબ હોય તેવું લાગે છે.
💁પરંતુ જે લોકોએ પોતાના જીવનમાં હંમેશા સારા કર્યો જ કરેલા હોય છે તેવા લોકોને પોતાના મૃત્યુનો કોઈ ભય હોતો નથી. આવા લોકોનું જ્યારે મૃત્યુ થવાનું હોય છે તો તેને મોતની પહેલા એક તેજ એવો પ્રકાશ જોવા મળે છે, જે પ્રકાશ તમામ પ્રકારના અંધકારને ચીરીને આ વ્યક્તિ સીધી પહોંચે છે.
💁જે લોકોનું જીવન સામાન્ય કહી શકાય તેવું રહ્યું હોય તેવા લોકોને પોતાના મૃત્યુના થોડા સમય પહેલા પોતાના દ્વારા જે કઈ સારા કે ખરાબ કર્યો થયા હોય તેની તેને યાદ આવે છે અને તેને પોતે કરેલા ખરાબ કર્યો માટે ખૂબ જ પછતાવો થાય છે.
💁મૃત્યુ સંબંધિત દરેક બાબત આપણું ધાર્મિક પુસ્તક ગરુડ પુરાણ છે તેમા આપવામાં આવેલી છે. તેમા તો એવું કહેવામાં આવ્યું છે કે જે માણસ મૃત્યુની ખૂબ જ નજીક હોય છે ત્યારે તેને સાક્ષાત યમનાં દૂતોના દર્શન થાય છે.
💁જે મનુષ્ય પોતાના જીવન ભર ખરાબ કામોમાં રચ્યો પચ્યો રહે છે તેવા વ્યક્તિને યમ દૂતોનું અતિ ભયંકર, વિકરાળ એવું સ્વરૂપ જોવા મળે છે અને તે એન્ડ સમયે પોતાની વાચા પણ ખોય બેસે છે, અને છેલ્લે તે માત્ર ઇશારાઓથી પોતાની કોઈ અધૂરી કે અંતિમ વાતો જણાવે છે.
💁જ્યારે માણસના શરીરનો આત્મા ત્યાગ કરે છે, ત્યારે તેના જીવને યમદૂતો આકાશ માર્ગેથી યમપુરી લઈ જાય છે. અને ત્યાં તેના કર્મ અનુસાર તેને ન્યાય આપવામાં આવે છે. તો આ મૃત્યુ એ માત્ર એક શરીરનો અંત છે. જીવ એ શરીરનો ત્યાગ કરે છે તો પછી તેના કર્મ અનુસાર તેને અન્ય શરીર મળે છે. તો સારું શરીર મેળવવા માટે આ જન્મ સારા કર્મ કરી લેવા યોગ્ય રહશે.
જો આવી જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.