💧🥛 આયુર્વેદમાં રોજનું ઓછામાં ઓછું 10થી 12 ગ્લાસ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે. એકલા આયુર્વેદમાં જ નહીં ડૉક્ટરો પણ આપણને દરરોજ એટલા ગ્લાસ પીવાની સલાહ આપતા હોય છે. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે પાણીને શરીરનો ક્ષાર માનવામાં આવે છે. આપણા શરીરમાં પોણો ભાગ પાણીથી ભરેલો હોય છે. પાણીએ આપણા શરીરમાંથી કચરો પેશાબ, અને પરસેવા દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે.
💧🥛 એ સિવાય પાણી પીવાનો પણ યોગ્ય સમય હોય છે. અને યોગ્ય વસ્તુ પહેલા કે પછી જ પાણી પીવું જોઈએ. જો ગમે તે સમયે પીવામાં આવે તો આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગ પ્રવેશી શકે છે. માટે તમને આજે માહિતી આપીશું કે ક્યા સમયે પાણી ન પીવું જોઈએ અને કઈ કઈ વસ્તુ સાથે પાણી ના પીવું..
💧🥛 -જ્યારે તમે શૌચ કરવા જાવ ત્યારે ક્યારેય પાણી ન પીવું જોઈએ. તે સમયે પાણી પીવાથી શરીરને હાનિ પહોંચે છે. -ઘણા લોકોને આદત હોય છે કે પેશાબ કરવા જાય તે પહેલા થોડું પાણી પીતા હોય છે. તેવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
💧🥛 -બીજું કે સૂવા જાવ તે પહેલા ઘણા લોકો પાણી પીતા હોય છે. તો તેનાથી જ શરીરમાં ઘણી બીમારીઓ પ્રવેશે છે. તેમજ જો તમે સૂતી વખતે વધુ પાણી પીવો તો શરીરમાં કિડની પર પણ વધુ ભાર રહે છે, માટે સૂતી વખતે જો તરસ લાગે તો થોડું જ પાણી પીવું વધુ હિતાવહ છે.
💧🥛 -આપણા ત્યાં બહાર જવાનો ટ્રેન્ડ વધતો જાય છે. જેના કારણે બીમારીઓ પણ દિવસેને દિવસે વધી રહી છે. તેનું મુખ્ય કારણ છે ફાસ્ટફૂડ. જેમ કે પાણી પૂરી, પીત્ઝા, ભાજીપાઉં વગેરે. તેથી ફાસ્ટફૂડ ખાધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરમાં ઘણા રોગ થઈ શકે છે.
💧🥛 – ચા પીધા પછી ઘણાને આદત હોય છે. પાણી પીવાની તો તે આદત બદલવી જોઈએ. ચાના સેવન પછી પાણી પીવાથી શરીરમાં સ્ટાર્ચની માત્રાનો વધારો થાય છે જેનાથી ચરબી વધે છે. જો પાણી પીવાની ઈચ્છા હોય તો, ચા પીધા પહેલા 10 મિનિટ પહેલા અડધો ગ્લાસ પાણી પિય લેવું જોઈએ.
💧🥛 -દૂધ પીધા પછી તો મોટાભાગે લોકો પાણી નથી પીતા કેમ કે તેનાથી કમળો થવાની સંભાવના વધે છે. પરંતુ સાથે બીજું પણ કારણ જવાબદાર છે દૂધ સાથે પાણી પીવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે. જેથી શરીરમાં હાનિકારક બેક્ટેરિયાનો વધારો થાય છે.
💧🥛-વહેલી સવારે જોગિંગ કરીને ઘરે પાછા આવો ત્યારે તરત પાણી ન પીવું જોઈએ. જે શરીરને હાનિ પહોંચાડે છે. જોગિંગ કર્યા બાદ 15 મિનિટ પછી અથવા થાક ઉતર્યા બાદ પાણી પીવું જોઈએ.
💧🥛 – ઘણા લોકો દોડીને અથવા ચાલીને બહારથી આવે એવા તરત પાણી પીતા હોય છે. અને તે પણ ઝડપથી તો તે ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી પરસેવો વળતો હોય છે. સાથે તમે પાણી પીશો તો આગળના વર્ષોમાં તમને ઘણી બીમારીઓ થઈ શકો છે. સીડી ચઢીને આવ્યા હોવ ત્યારે પણ પાણી ન પીવું જોઈએ. થોડી વાર રહી પાણી પીવું જોઈએ.
💧🥛 -આપણા ઘણી વખત શરીરને શ્રમ પડે તે રીતે કામ કરીએ ત્યારે પાણીની તરસ લાગતી હોય છે. પરંતુ તે વખતે પાણી ન પીવું જોઈએ કેમ કે તેનાથી પેટમાં દુખાવો થાય છે. ઘણી વખત ગેસની સમસ્યા પણ થતી હોય છે.
💧🥛 -ઘણા લોકો સાંજે ઓફિસથી ઘરે આવે એવા તરત પાણી પીતા હોય છે. પરંતુ તે ન કરવું જોઇએ. થોડીવાર બેસી પછી જ પાણી પીવું જોઈએ. -વ્રત કે ફાસ્ટ એટલે ઉપવાસ કરો ત્યારે બને તો ઓછું પાણી પીવું જોઇએ.
💧🥛 ઘણા લોકોને જમીને પછી તરત 1-2 ગ્લાસ પાણી પીવાની ટેવ હોય છે, તો તે ટેવ કાઢી નાખવી જોઈએ કેમ કે, જમતી વખતે શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. અને પાણી પીવાથી અગ્નિ બેસી જાય છે અંતે ભોજન સડવા લાગે છે. જેના કારણે એસિડિટી, ગેસ, અપચો જેવી તકલીફ થાય છે. માટે ભોજન કર્યાના અડધો અથવા કલાક પછી જ પાણી પીવું જોઈએ. જેથી ખોરાક પછી જાય. અને જો પાણી પીધા વગર ચાલતું ન હોય તો એક ઘૂંટડો પાણી પીવું જોઈએ.
💧🥛 -આ વાત ખૂબ જ મહત્ત્વની છે આયુર્વેદમાં પણ કહ્યું છે કે જમતાં જમતાં ક્યારેય પાણી ન પીવું જોઈએ. મોટાભાગના લોકોને આદત હોય છે કે જમતી વખતે પાણીની જરૂર પડે, પણ લાંબા સમયે આ આદત તમને અને તમારા શરીરને ખૂબ નુકશાન પહોંચાડે છે, તે યાદ રાખવું.
પાણી પીવાની આ સામાન્ય પરંતુ ખૂબ મહત્વની ની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.