🛤️ ભાગ્યે જ કોઇ એવો વ્યક્તિ હશે જેને ક્યારેય ટ્રેનમાં મુસાફરી ન કરી હોય. જ્યારે તમે ટ્રેનમાં બેઠા હશો. ત્યારે તમારી નજર પાટાની આસપાસ નાના-નાના પત્થર પર પડી હશે અને ત્યારે એક વિચાર આવે કે, આ કાળા પત્થર શા માટે નાખવામાં આવે છે? જો કે આ વાતની જાણ બહુ ઓછા લોકોને હોય છે ક્યા કારણે નાખવામાં આવે છે.
🛤️ ભારતીય રેલ્વે વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. 7216 રેલ્વે સ્ટેશન આવેલા છે અને તેમાં 119630 કિલોમીટર સુધી ફેલાયેલા ટ્રેક પણ છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને ટ્રેનની જ્યારે પણ શરુઆત થઇ ત્યારથી પાટા પર પત્થરો નાખવામાં આવી રહ્યાં છે. તો તમને જણાવીએ કે પાટા પર પત્થર નાખવા પાછળ ઘણા કારણો છે. તેના વિશે આજે તમને જણાવીશું.
🛤️ રેલ્વે ટ્રેન વિશ્વભરમાં ફેલાયેલો છે અને દરેકે જોયું હશે કે, નાના ટુકડા મૂકેલા હોય છે. કોઇ વખત ટ્રેનની રાહ જોતા હોઇએ ત્યારે તેનાથી આપણે રમત પણ કરતાં હોઇએ છીએ. રેલ્વે ટ્રેક પર જે પત્થર નાખવામાં આવે છે. તેને બુલસ્ટર કહીએ છીએ. જે ખડકોને તોડીને બનાવેલા હોય છે. તે રેતી અને ઇંટના બનેલા હોય છે. આ પત્થરો પર આપણે બહુ ચાલી શક્તા હોતા નથી.
🛤️ અત્યારના રેલ્વે ટ્રેક પહેલાના રેલ્વે ટ્રેક જેવા બનાવવામાં આવતા હોતા નથી. તે પહેલા લાકડાંના બનતાં હતા. જે અત્યારે સિમેન્ટના લંબચોરસ બિમ્બનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેને આપણે સ્લીપર્સ કહીએ છીએ.
🛤️ તે રેલ્વે ટ્રેક પર ચાલે ત્યારે ઘર્ષણ થતુ હોય છે અને તેના કારણે અમુક સમયે રેલ્વેના પાટાનું સંતુલન બગડે તો મોટી દુર્ઘટના થઇ શકે છે. માટે ખાસ કરીને આ બંને વચ્ચે સમતોલન હોવું ખૂબ જ જરુરી છે. આ પત્થર ખૂબ જ કઠણ હોય છે. જેના કારણે ગાડી સ્થિર ચાલે છે. આ પત્થરોને કારણે બીજો એક ફાયદો એ પણ છે કે, પુરપાટ ઝડપે ટ્રેક પરથી જતી ટ્રેનનો અવાજ આ પત્થરોને કારણે દબાઇ જાય છે. જેથી વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થાય છે.
🛤️ ભારે વરસાદ હોય ત્યારે પણ બધું પાણી વહી જતુ હોય છે કેમ કે, આ પત્થર સિમેન્ટ અને ડામરના હોવાના કારણે પાણી ભરાઇ રહેતુ નથી અને બધુ આજુબાજુથી વહી જતુ હોય છે. જેથી ટ્રેક પર કાદવ કિચ્ચડ પણ થતો નથી. બીજું કારણએ પણ છે કે ટ્રેન આખી લોખંડની બનેલી હોય છે. જેના કારણે ભાર વધી જતો હોય છે અને તે જ્યારે ચાલે છે ત્યારે ઘર્ષણ વધારે થતુ હોય છે. તો નાના કાળા પત્થર ઘર્ષણ ઘટાડવાનું કામ કરે છે.
🛤️ આ પત્થર ખાસ કરીને ખરબચડા હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે કારણે કે ગોળ અને લીસા પત્થર જલદી લપસી જતા હોય છે. જેના કારણે ટ્રેકની આજુબાજુ ઝાડી-ડાંખરા થઇ જવાનો ભય રહેતો હોય છે. તેનાથી ટ્રેન સરળતાથી ચાલી શકતી નથી. પરંતુ આ પત્થરના કારણે આવી કોઇ મુશ્કેલી સર્જાતી નથી અને ટ્રેક પર ટ્રેન સરળતાથી ચાલે છે.
🛤️ બીજી વાતએ પણ છે કે, જ્યારે ટ્રેન ચાલે છે ત્યારે ટ્રેક પર કંપન પેદા થાય છે. જે સૂર્યપ્રકાશના કારણે ગરમ થાય છે. શિયાળામાં સંકોચાઇ જાય છે. તેથી પાટાની વચ્ચે રહેલા લાકડાં અને સિમેન્ટના બોક્સ પર વધારે ભાર આવતો હોય છે. તે ભાર પત્થર પર આવતો હોવાથી ટ્રેક જ્યારે પણ સંકોચાઇ અને ટ્રેન પસાર થાય તો સમતોલન પણ બની રહેતુ હોય છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.