🪔 આપણે ત્યાં કોઇપણ શુભ પ્રસંગ, તહેવાર કે ભગવાનની પૂજા કરાવીએ ત્યારે કોઇપણ શુભ કાર્યની શરુઆત ઘરમાં દીવો કરીને કરીએ છીએ. શાસ્ત્રોમાં પણ દીવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
🪔 હિન્દુ ધર્મ અને શાસ્ત્ર અનુસાર અગ્નિએ પૃથ્વી ઉપર ભગવાન સૂર્યદેવનું બદલાયેલુ સ્વરુપ છે. એવું માનવામાં આવે છે કે, અગ્નિદેવને સાક્ષી માનીને કોઇપણ કાર્ય કરીએ તો સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે કોઇપણ કાર્ય કરીએ તે પહેલા દીવો પ્રગટાવીએ છીએ. આપણે ઘરમાં પણ સવાર સાંજ દીવો કરતા હોઇએ છીએ.
🪔 નિયમિત દીવો કરવાથી સ્વાસ્થ્ય તેમજ આયુર્વેદિક અને શાસ્ત્રોક્ત રીતે ઘણા લાભ જોવા મળે છે. આજે અમે તમને દીવો પ્રગટાવાથી થતા શારીરિક ફાયદા વિશે જણાવીએ, વિજ્ઞાનમાં પણ કહેવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી ઘણા લાભ થાય છે.
🪔 ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવાથી થતાં લાભ :-
🪔 ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવાથી આખા ઘરમાં તેની સુંગધ ફેલાયેલી રહે છે. જેથી કોઇ માણસ જો પૂજા કે સાંજ અથવા સવારે દીવો કરીએ ત્યારે હાજર ન હોય તો પણ લાભ થાય છે. તેમાં રહેલુ ઘી અને ધુમાડો તે વાતાવરણમાં ભળીને ઘરને પવિત્ર કરવાનું કામ કરે છે.
🪔 સૌ કોઇ જાણે છે કે, માણસને ઓક્સિજનની વધારે જરુર હોય છે અને તે આપણને વનસ્પતિમાંથી મળે છે. બીજુ ગાયના ઘીમાંથી મળે છે. માટે જો તમે ઘરમાં ગાયના ઘીનો દીવો કરશો તો ઘરમાં ઓક્સિજનની માત્રા વધારવાનું કામ કરશે.
🪔 ધરતી પર આ એક જ ધુમાડો છે જે ઓક્સિજન બનાવે છે. સવાર-સાંજ દરેક વ્યક્તિએ ઘી અથવા સરસવના તેલનો દીવો કરવો જોઇએ, જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
🪔 પારંપારિક રીતે માત્ર માટીના જ દીવો પ્રગટાવામાં આવે છે, પરંતુ હવે લોકો પોતાના ઘરમાં ધાતુના દીવા પણ કરે છે. દીપક પ્રગટાવવા પાછળ ઘરના વડીલો તર્ક આપે છે કે તેનાથી ઘરમાં અંધકાર દૂર થાય છે. પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે. ઘી અને સરસવના તેવનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ઉડતો ધુમાડો પ્યુરીફાયરનું કામ કરે છે. ઘી અને તેલની સુંગધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણો બહાર કાઢી દે છે. સાથે જ દીવાના તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતાને દૂર કરવામાં મદદ કરે છે.
🪔 કોઇપણ દીવો અડધો કલાક પછી બુઝાઇ જતો હોય છે. તો પણ તે વાતાવરણને શુદ્ધ અને સાત્વિક બનાવી રાખવાનું કામ કરે છે. તેની મહેક ચાર કલાક સુધી વાતાવરણમાં રહેતી હોય છે. જેનાથી અસ્થમાનો વ્યક્તિ હોય તો તેની તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત જો ઘરમાં ચામડીનો કોઇપણ પ્રકારનો રોગ હોય તો તે દૂર કરવાનું કામ કરે છે.
🪔 જો ઘરમાં નાની-મોટી બીમારી રહ્યા કરતી હોય તો તેને દૂર કરવાનું કામ કરે છે આ દીવો. જો તમે દીવો પ્રગટાવતી વખતે તેમાં એક લવિંગ મૂકશો તો વધારે અસરકારક બનશે. ગાયનું ઘી ચામડીના રોગને દૂર કરે છે. દીવાનો ધુમાડો તમારા શરીરને સ્પર્શે છે. જેનાથી તમારી ચામડી સ્વસ્થ રહેશે.
🪔 જો તમે આર્થિક રીતે પ્રગતિ કરવા ઇચ્છતા હોય તો પૂજાના સમયે ગાયના ઘીમાંથી દીવો કરવો જોઇએ. તે ઉપરાંત દિવાળીના દિવસે તથા દિવાળીના કોઇપણ શુભ તહેવારના દિવસે ગાયના ઘીના દીવાની સાથે તેલનો દીવો કરવો જોઇએ.
🪔 તેલના દીવાની જ્યોત પ્રગટાવી રાખવી જોઇએ. આમ કરવાથી દેવી-દેવતાઓના ખૂબ જ સારા આશિર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઘરમાં અનેક રોગો દૂર થાય છે, સાથે સાથે ઘરમાં રહેલુ પ્રદૂષણ પણ દૂર થાય છે. જ્યારે દીવમાં નાખેલુ ઘી આગના સંપર્કમાં આવે છે ત્યારે વાતાવરણને પવિત્ર બનાવવાનું કામ કરે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.